Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જાસપુર વિશ્વઉમિયા ધામ ખાતે તૈયાર થશે 1.5 લાખ વૃક્ષોનું ઉપવન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે વિશ્વ ઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે

અમદાવાદ :શહેરમાં હરિયાળી વધે તે જરૂરી છે. શહેરમાં સતત ઓક્સિજનનું પ્રમાણ વધે  તે માટે  વિશ્વ ઉમિયા ધામ ખાતે 1.5 લાખ વૃક્ષોનું ઉપવન બનાવવામાં આવશે.  હરિયાળા વૃક્ષો સાથે બની રહેલું ઉપવન ભારતને વિશ્વ સ્તરે કાર્બન ક્રેડિટ અપાવશે. અમેરિકા-બ્રિટન જે કાર્બન ક્રેડિટ માટે મથે છે તે વિશ્વ ઉમિયાધામ ના ઉપવનના 1.5 લાખ વૃક્ષો આપશે. 31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશ્વ ઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે. જે સંદર્ભે આ વર્ષે 75 હજાર અને આવતાં વર્ષે અન્ય 75 હજાર વૃક્ષનું વાવેતર થશે.

વિકાસની સુપરફાસ્ટ ગતીમાં ચાલી રહેલા ગુજરાતનું આર્થિક પાટનગર એટલે આપણું અમદાવાદ. આ અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્નાર્થ તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દુષિત હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાના  કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 1.5 લાખ વૃક્ષો સાથે વિશ્વ ઉમિયાધામ ઉપવન બનવા જઈ રહ્યું છે. આ 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદુષિત હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે એટલે હવાનું પ્રદુષણ અટકશે.

વૈશ્વિક સ્તરે અમેરિકા- બ્રિટન જેવા વિકસીત દેશો પણ ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા હવામાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા મથે છે. ત્યારે વિશ્વઉમિયાધમનું આ ઉપવન વિશ્વને કાર્બન ક્રેડિટ આપશે. આ સાથે ભારત વર્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક સામાજિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ જાસપુરે સંકલ્પ લીધો છે કે 31 જુલાઈના રોજ 75 હજાર વૃક્ષારોપ સાથે 75 હજાર તિરંગાઓનું પણ વિતરણ થશે. જે ગુજરાત ભરમાં વસતાં પાટીદાર સમાજના પરિવારને ઘર પણ લહેરાવાશે. 31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ વિશ્વ ઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે

(12:24 am IST)