Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1128 નવા કેસ નોંધાયા:વધુ 902 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા :કુલ મૃત્યુઆંક 10,967: કુલ 12.36.301 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 5.73.627 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6218 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 1128 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 902 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.36.301 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ દર્દીઓના મૃત્યુ થયા હહે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.967 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.63 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 5.73.627 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.55.60.693 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6218 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6208 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1128 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 391 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 121 કેસ, મહેસાણામાં 79 કેસ,સુરતમાં 64 કેસ, સુરત કોર્પોરેશનમાં 52 કેસ,ગાંધીનગરમાં 51 કેસ, કચ્છમાં 37 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 35 કેસ, વડોદરામાં 31 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 29 કેસ, ભરૂચ, રાજકોટ અને વલસાડમાં 22-22 કેસ,અમરેલી અને ભાવનગર કોર્પોરેશનમાં 16-16 કેસ,નવસારી અને પાટણમાં 15-15 કેસ,મોરબીમાં 14 કેસ,બનાસકાંઠામાં 12 કેસ,આણંદ અને સાબરકાંઠામાં 10-10 કેસ,અમદાવાદમાં 9 કેસ,જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, અરવલ્લીમાં 7 કેસ,પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપીમાં 6-6 કેસ,ગીર સોમનાથ, જામનગર અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3 કેસ,બોટાદ,જૂનાગઢ કોર્પોરેશન અને ખેડામાં 2 કેસ, દાહોદમાં 1 કેસ નોંધાયો છે 

(8:08 pm IST)