Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજપીપળા તલકેશ્વર મહાદેવ મંદિરના અવશેષો પૈકી આજે JCB દ્વારા મહાદેવની ગાદી મળતા મંદિરમાં મુકાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભારે વરસાદમાં કરજણ ડેમ માથી મોટી માત્રામાં પાણી છોડયું હતું જેમાં કરજણ કાંઠાનાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા ત્યારે આ સમયે રાજપીપળા કરજણ બ્રિજ ની નીચે આવેલા તલકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું જેમાં મહાદેવ નું શિવલિંગ જેસીબીની મદદથી શોધી સફાઈ કરી મંદિર નાં સ્થાન ઉપર પૂંજા કરી મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ આજરોજ તલકેશ્વર મહાદેવ ભગવાનની ગાદી(બેઠક ) જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપીત કરવામા આવી હતી જેને નદીના પાણી ઉતરતા જેસીબી દ્વારા બહાર કાઢી મંદિર પરીસર મા મુકવીમા આવી હતી.

(10:48 pm IST)