Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું અવસાન

અમદાવાદના નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ :સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી .

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ  માટે ફફડાટ ફેલાય તેવા સમાચાર મળી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

 

(11:47 pm IST)