Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સરકારી કર્મચારીઓ માટે રસીકરણ ઝૂંબેશઃ તમામ કર્મચારીઓને રસી લેવા આદેશ

અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે તમામ વિભાગો જોગ પરિપત્ર કર્યો

રાજકોટ તા. ૩૦ : અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે તમામ વિભાગો જોગ પરિપત્ર વિભાગો જોગ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે  તાજેતરના સમયમાં સમગ્ર રાજયમાં કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વધતા સંક્રમણને ધ્યાને રાખી તકેદારીના પગલારૂપે સચિવાલય ખાતે તા.ર૪/૩૦/ર૦ર૧ થી રસીકરણની કામગીરી ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે.

કોવિડ રસીકરણની આ ઝૂંબેશનો ઝડપી અને અસરકારક રીતે અમલ કરી શકાય તે માટે આપના વિભાગ ખાતે ફરજ બજાવતા  વર્ગ-૧ થી વર્ગ-૪ સંવર્ગના તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ રોજમદારો નજીકના રસીકરણ કેન્દ્ર પરથી કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને રાખી સત્વરે રસીકરણ કરાવી લે તે સુનિશ્ચિત કરવા અંતમાંં સુનયના તોમરે જણાવ્યું છે.

(4:16 pm IST)