Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે ખુટતી વિગતો માટે ૭ દિ'નો સમય અપાયો' તો

મહેસુલ મંત્રી કૌશીક પટેલ કહેલ છે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજયમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવા ઓનલાઈન આપેલ અરજીઓને કોંગ્રેસના ઋત્વિક મકવાણાના પ્રશ્નના ઉત્તરમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે રાજયમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અરજી ઓનલાઈન કરવાની હોય છે.

પ્રમાણપત્ર મેળવવા માટે કરેલ અરજીઓ મુખ્યત્વે સરકારશ્રીના તા.૩૧/૭/૨૦ અને તા.૬/૧/૨૧ના પરિપત્રોની જોગવાઈઓનું પાલન ન થતા રદ કરવામાં આવેલ છે.

ખેડૂત ખરાઈ પ્રમાપત્રની ઓનલાઈન અરજીઓમાં ખુટતી વિગતો માટે સરકારશ્રીના તા.૬/૧/૨૧ના પરિપત્રથી કરેલ જોગવાઈ મુજબ અરજીમાં ખુટતી વિગતો માટે સાત દિવસનો સમય આપવામાં આવેલ છે.

(4:20 pm IST)