Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અમદાવાદમાં મંગલારંભ-૩ ગ્રુપ આર્ટ એકઝીબીશન

રાજકોટઃ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્‍ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્‍થિત છે. આ ખાનગી ટ્રસ્‍ટ જી. જે. પટેલની અધ્‍યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્‍ટી કોકીલા જી. પટેલ છે. આ સંસ્‍થા કલાકારો અને હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા માટે કોઇ નફો નહી, નુકશાન નહી પર કામ કરે છે અને ફાઉન્‍ડેશનમાં ૩૦૦થી વધુ રજિસ્‍ટર્ડ કલાકારો છે.

 આ વર્ષે મંગલારંભ-૩  (પાર્ટ-ર) પ્રદર્શનનું ૧૭ જેટલા કલાકારોની ૫૦ કૃતિ પ્રદર્શિત કરવામાં આવી.

ેમંગલારંભ-૩ નાં (પાર્ટ-ર) ના કલાકારોમાં કોકીલા જી. પટેલ, નીલુ પટેલ, અંકિત જોષી, અંકિત વાંદરા, ભાવના મહેતા, જસપ્રીત મોહનસિંદ્ય, જિગર પંડ્‍યા, નિહાલ પંડ્‍યા, પ્રશાંત શર્મા, પ્રતિભા શ્રીમાળી, રૂચી મહેતા, સંજય દેશપાંડે, સિધ્‍ધાર્થ પટેલ, સિમ્‍મી કપૂર, શ્રૃતિ સોની વિનય પંડ્‍યા અને વિનુ ભણસાલીએ પોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિઓ રજૂ કરેલ

(3:17 pm IST)