Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સિરીયલ ‘દિયાં ગલ્લાં'માં મનદીપ ૨૫ વર્ષ પછી દિલપ્રીતના ઘરમાં આવે છે

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર દિલ દિયાં ગલ્લાંમાં સંદેશવ્‍યવહારને અભાવે બ્રાર પરિવારમાં ત્રણ પેઢી વચ્‍ચે મતભેદ કઈ રીતે પેદા થાય છે તે બતાવવામાં આવ્‍યું છે. દર્શકોએ ખોટી રીતે અર્થઘટન કરેલી સ્‍થિતિઓ, ઠેસ પહોંચેલી સંવેદના અને આંતરિક માન્‍યતાઓથી અલગ થયેલા પરિવારની વાર્તા સાથે સુમેળ સાધ્‍યો છે. આગામી એપિસોડમાં પિતા- પુત્ર જોડી દિલપ્રીત (પંકજ બેરી) અને મનદીપ (સંદીપ બસવાના) વચ્‍ચે મતભેદ એકબીજાની આસપાસમાં હાજરી સાથે કઈ રીતે લેણદેણ કરે છે તે બતાવવામાં આવ્‍યું છે.સંદીપનું પાત્ર ભજવતો સંદીપ બસવાના કહે છે, મનદીપને હવે ભાન થાય છે કે જીવનમાં નાની ગેરસમજૂતીને પહોંચી નહીં વળાય તો સંબંધો કઈ રીતે ખાટા થઈ જાય છે. આથી આ વખતે તે હવાલો સંભાળે છે અને દિલપ્રીત પાસે તેની સાથે વાત કરવા સિવાય કોઈ વિકલ્‍પ નહીં રહે અને જૂના મતભેદ દૂર થાય તેની ખાતરી રાખવા માગે છે.

 

 

(4:01 pm IST)