Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૫૦ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દેશમુખ ફળિયા ૦૧, નવા ફળિયા ૦૧ તથા નાદોદ તાલુકામાં માંગરોલ ૦૨, વાઘોડિયા ૦૧, જુના રૂંઢ ૦૨ તથા ગરુડેશ્વર તાલુકામાં રાયસીંગપુરા ૦૨ તથા તિલકવાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી , ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં ટાવલ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૧૩ દર્દી દાખલ છે. આજે ૪૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૦૪૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૫૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:29 pm IST)