Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વડોદરા: મકરપુરામાં સફાઈ કામદારે બીમારીથી કંટાળી ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા:મકરપુરા ડેપોની પાછળ ઝવેરનગર સોસાયટીમાં રહેતા કોર્પોરેશનના સફાઇ કામદારે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બીમારીથી કંટાળીને તેણે આપઘાત કર્યો હોવાની  શંકા પોલીસે વ્યક્ત કરી છે.

ઝવેરનગર સોસાયટીમાં રહેતા રામચંદ્ર રામજીભાઇ સોલંકી (ઉ.વ.૩૮) કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદાર તરીક ેનોકરી કરતો  હતો.ગઇકાલે કામ પરથી પરત ઘરે આવીને તેે ઉપરના માળે સુઇ ગયો હતા, તેની થોડીવાર પછી તેની માતાને ઉપરના માળે જવુ હોવાથી  તેઓ દરવાજો ખખડાવતા હતા.પરંતુ,રામચંદ્ર દરવાજો ખોલતો ન હોઈ  રામચંદ્રના  પુત્રએ બાજુના ઘરની અગાશી પર જઇને જોયુ તો પિતાએ ફાંસો ખાધો હોવાનુ જણાઇ આવ્યુ  હતું.તેણેે બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા હતા.અને  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,રામચંદ્રને ખેંચની બીમારી હતી.અને તેણે ઓપરેશન કરાવ્યુ હતું.પરંતુ,ઓપરેશન પછી પણ તેની તબિયત સારી નહી રહેતા તેણે આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

(6:05 pm IST)