Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સરકારી કચેરીઓમા 50 ટકા કર્મચારીની હાજરીનો નિયમ બદલાયો : હવે સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી રહેશે

સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું: કોરોના કેસમા ઘટાડો થતા લેવાયો નિર્ણય: GADના ACS કમલ દયાણીએ પરિપત્ર જાહેર કર્યો

 

અમદાવાદ : કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં 50 ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી શરૂ કરવાનો આદેશ કરાયો છે 

સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું છે. હવેથી સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી રહેશે. કોરોના કેસમા ઘટાડો થતા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને લઇ 50 ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલતી હતી. દોઢ મહિનાથી વર્ક ફ્રોમ હોમની કામગીરી ચાલતી હતી. આ અંગે GADના ACS કમલ દયાણીએ પરિપત્ર જાહેર કર્યો છે.

(12:13 am IST)