Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પાકિસ્તાનમાં માત્ર બને ડોઝ લેનાર શખ્સો જ કરી શકશે હવાઈ મુસાફરી

નવી દિલ્હી: ઈમરાન સરકારે પાકિસ્તાનમાં કોરોનાની રસી લગાવવાનું ટાળનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન સત્તા મંડળે કોવિડ -૧૯ રસીનો ડોઝ ન લેનારા મુસાફરોની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.સુત્રોએ આપેલી માહિતી અનુસાર, નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (ગઈઘઈ) ના નિર્દેશોને અનુસરીને પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન સત્તા મંડળે એક સૂચનામાં જણાવ્યું હતું કે, ૧ ઓક્ટોબરથી માત્ર ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો જ રહેશે. પાકિસ્તાનમાં આવવા-જવાની મંજૂરી છે. જે લોકોએ કોવિડ -૧૯ વિરોધી રસીનો સંપૂર્ણ ડોઝ લીધો છે તેમને દેશની અંદર હવાઈ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.

(5:25 pm IST)