Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માત્ર આ પાંચ છોડ લઇ શકે છે મનુષ્યનો જીવ

નવી દિલ્હી: આપણા માટે ઝાડ-છોડ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. વૃક્ષો અને છોડમાંથી આપણને શુધ્ધ હવા ઉપરાંત ઘણી બીજી વસ્તુઓ પણમળે છે. ઘણા છોડ ઔષધીય ગુણથી ભરેલા હોય છેઅને તે લોકોને અનેક રોગોથી દૂર રાખે છે. પરંતુ કેટલાક છોડ આપણા માટે જોખમી પણ છે. તે ઝેરી હોય છે અને મનુષ્યની જાન પણ લઇ શકે છે. ચાલો આવા ઝેરીલા છોડોકેરળ અને આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળતા પ્લાન્ટને કારણે કેરળમાં અનેક મૃત્યુ થયા છે. તેના બીજની અંદર અલ્કલોઇડ્સ જોવા મળે છે, જે હૃદય અનેકનેરનો આખો છોડ જીવલેણ હોય છે. ખાતાની સાથે, વ્યક્તિ ઉલટી, ચક્કર, અશક્તિની સાથે કોમામાં પણ જઈ શકે છે. જો તેનું પાન શરીરને સ્પર્શે તો ખંજવાળ શરૂ થઇ જાય છે. છોડના બીજ ઝવેરાત અને પ્રાર્થના માટે વપરાતી માળામાં તેનો ઉપયોગ થતો હોવાથી છોડનું નામ રોઝરી પી રાખવામાં આવ્યું છે. છોડને સ્પર્શ કરવાથી કોઈ નુકશાન નથી થતું પરંતુ તેને ચાવવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેમાં રહેલું એબ્રીન માત્ર ૩માઇક્રોગ્રામ પણ, માનવીને મારવા માટે પૂરતું છે.

એરંડાના બીજમાંથી કેસ્ટર તેલ કાઢવામાં આવે છે. તેના બીજ ખૂબ ઝેરી હોય છે. તેના એક કે બે બીજ ખાધા પછી બાળક મરી પણ શકે છે, અને વૃદ્ધ વ્યક્તિ આઠ બીજ ખાધા પછી મરી જાય છે. તેમાં રાઈસિન નામનું એક ઝેર હોય છે જે કોષોની અંદર પ્રોટીનનું સંશ્લેષણ બંધ કરે છે અને તેનાથી ઉલટી થાય છે અને માનવીનું મૃત્યુ પણ થઇ શકે છે.

(6:22 pm IST)