Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ઇસ્લામાબાદમાં કોરોના દર્દીઓની સંખ્યા 7.7ટકા વધી ગઈ

નવી દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા વધીને 7.7ટકાએ થઇ ગઈ છે. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે. બુધવારના રોજ રાજધાનીમાં કોવીડ 19ના 228 કેસ સામે આવ્યા હતા જેને લઈને કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા  વધીને 20471 થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે અને દરમ્યાન બે મૃત્યુ નનવા નોંધાયા છે જેના કારણોસર મ્રુતકઆંક વધીને 224પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા અઠવાડિયાથી સંક્રમિત લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે.

(5:09 pm IST)