Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સીનિયર સિટિઝન્સને મોટી રાહત ૭૫ વર્ષ પછી કોઈ ટેકસ નહીં ભરવો પડે

નવી દિલ્હી, તા.૧: બજેટ ૨૦૨૧માં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. આ વખતે કોરોના મહામારીના કપરાં સમયગાળા પછી દરેક નાગરિકને સીતારમણના બજેટથી મોટી અપેક્ષાઓ હતી. આમાંનો એક સિનિયર સિટીઝન વર્ગ છે, જેને બજેટમાં આ વખતે સરકાર તરફથી મોટી રાહત મળે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. વૃદ્ઘાવસ્થાની લાકડીને મજબૂત કરવા આ વખતે મોદી સરકારે વરિષ્ઠ નાગરિકો માટે દ્યણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ચાલો આપણે જાણીએ કે મોદી સરકારે આ બજેટમાં વરિષ્ઠ નાગરિકોને શું આપ્યું છે.

સૌથી અગત્યની જાહેરાત એ છે કે મોદી સરકારે ૭૫ વર્ષથી ઉપરના વૃદ્ઘોને ઇન્કમ ટેકસમાં સીધી છૂટ આપી દીધી છે અને કહ્યું છે કે તેઓને કોઈ ટેકસ ચૂકવવો પડશે નહીં. નાણાં પ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ સિનિયર સિટીઝનને નમન કરીને આ જોગવાઈની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આઝાદીના ૭૫માં વર્ષે, તેમણે ૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ઘોને મદદ કરવાનું નક્કી કર્યું છે. જેથી આ લોકોને હવે કોઈ ITR ભરવું પડશે નહીં.

આ ઉપરાંત ટેકસ મામલે બીજી પણ કેટલીક જાહેરોતો કરી છે. જે મુજબ અત્યારે ટેકસ રિએસેસમેન્ટ ૬ વર્ષ અને ગંભીર મુદ્દે ૧૦ વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. તેને હવે ઘટાડીને ૩ વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં ૫૦ લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો ૧૦ વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે.

૮૫ હજાર કરોડ રૂપિયાના ટેકસ ડિસ્પ્યૂટ તાજેતરમાં જ ખતમ થયા છે. ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, ૫૦ લાખ સુધીની આવક અને ૧૦ લાખ સુધીની વિવાદિત ઈનકમ વાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્યૂનલ બનશે. અત્યારે જો ટર્નઓવર ૧ કરોડથી વધારે થઈ જાય તો ટેકસ ઓડિટ કરવાનું થશે. ૯૫% ડિજીટલ ટ્રાન્ઝેકશન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે ૫ કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. તેને વધારીને હવે ૧૦ કરોડ કરવામાં આવી રહ્યું છે.

(4:14 pm IST)