શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી - લંડનમાં નવું શરુ કરાયેલ કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે ખોલનારુ વિશ્વનું પહેલું હિન્દુ મંદિર છે. તેનું લક્ષ્ય ઘણા અન્ય હિન્દુ મંદિરોને અનુસરવા પ્રેરણા આપવાનો છે. મંદિરના મલ્ટીફંકશન હોલમાં વેક્સિન આપવામાં આવે છે , જેમાં એક સાથે ૨૦ જી.પી.નું જૂથ કાર્યરત છે. જેનો હેતુ એ છે કે દરરોજ ૧૩૦૦ લોકોને વેક્સિન આપવામાં આવી શકે.
એનએચએસ ઇંગ્લેન્ડે કહ્યું છે કે તેને ડર છે કે યુકેના દક્ષિણ એશિયાઈ સમુદાયોમાં કેટલીક અસ્પષ્ટતાને કારણે કોવિડ વેક્સિનને નકારી શકાય. જી.પી. એ ચેતવણી આપી છે કે ખોટા સમાચારથી યુકેના દક્ષિણ એશિયન સમુદાયોના કેટલાક લોકો કોવિડ વેક્સિનને નકારી શકે તેવી સંભાવના છે. તાજેતરના રોયલ સોસાયટી પબ્લિક હેલ્થ પોલમાં સૂચવવામાં આવ્યું છે કે આશરે અશ્વેત, શ્વેત ઉત્તરદાતાઓની તુલનામાં અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય લોકો (બીએએમએ) ના અડધાથી વધુ લોકો કોરોના વેક્સિન મેળવવા ખુશ હશે.
ડો. સચિન પટેલ જી.પી. અને હાર્નેસસ કેરના અધ્યક્ષે ટિપ્પણી કરી છે કે, " આ કેન્દ્ર હિન્દુ અને વિશાળ દક્ષિણ એશિયાઈ સમુદાયને એક સ્પષ્ટ સંદેશો આપશે કે વેક્સિન સુરક્ષિત અને માન્ય છે. અમે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીના આભારી છીએ કે તેઓ આ સમુદાયોને સંપૂર્ણ રીતે સફળ કરવામાં મદદ કરવા માટે અગ્રેસરની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી એ પહેલું હિન્દુ મંદિર છે કે જે આ પહેલ કરી છે. "સમુદાયને પ્રેરણા આપવા" હેતુ હેઠળ આ મંદિર વિશ્વના પ્રથમ ઇકો ફ્રેન્ડલી - મંદિર તરીકે ૨૦૧૪માં ખોલાયું છે, ત્યારબાદ
તેણે નિયમિત ભંડોળ સંગ્રહ કરનાર અને રક્તદાન શિબિર કરીને પોતાના સમુદાયોના મુખ્ય આધારસ્થંભ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. રોગચાળા દરમ્યાન, મંદિરે મલ્ટીફંકશન હોલમાં રક્તદાન શિબિર યોજવાનું ચાલુ રાખ્યું છે. જેને કોરોના વાઇરસ સંકટ દરમ્યાન પણ વધુ જરૂરી બનાવ્યું હતું. લંડનના મેયર સાદ્દિકખાન અને ૨૦૧૪માં મલ્ટીફંકશન હોલનું ઉદ્ઘાટન કરનાર હાલના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સહિત ઘણા મહાનુભાવોએ તેના વખાણ કર્યા છે.
મંદિરના સ્થાપક વર્લ્ડપીસ એમ્બેસેડર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અસીમ કૃપાથી સંપ્રદાયના ભક્તો તથા
સમાજ સુધારકોના વારસોને પ્રેરણા મળી છે. વેક્સિન પ્રાપ્ત કરીને, વ્યક્તિઓ કોરોના વાઇરસનો ફેલાવો રોકવામાં અને સ્થાનિક સમુદાયો કોવિડ -૧૯ થી સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
મંદિરના ટ્રસ્ટી ડો. મહેશ વરસાણી - પોતે સેલ,જનીન ઉપચાર, રોગપ્રતિકારક અને સંશોધનકર્તા એવા વરસાણીએ જણાવ્યું હતું કે. " આ કેન્દ્રનો હેતુ અઠવાડિયામાં હજારો રસીઓ લેવાનું છે. જયારે તે જ સમયે લોકોને થતી ચિંતાને દૂર કરે છે. આપણે વેક્સિન વિશે જે બધું જાણીએ છીએ તે છે કે તે સલામત અને અસરકારક છે. અને તેનો કોઈપણ તત્વોનું અથવા ઉત્પાદન પ્રક્રિયામાં હિન્દુ સિદ્ધાંતનું વિરોધાભાસ નથી. દક્ષિણ એશિયન સમુદાયના કેટલાક સભ્યોને લાંબા સમયથી ચિંતા હોઈ શકે છે જે જુના વારસા તરફ લઇ જાય છે. પરંતુ, તે જ રીતે , આ મંદિર, આચાર્ય સ્વામીશ્રી મહારાજના સંદેશ દ્વારા ૨૦૦૦માં શરુ થતાં, હિંદુઓએ શરીરના અવયવો અને રક્તદાન કરવા વિશેની દંતકથાને દૂર કરી. અમે આ વેક્સિન માટે પણ તે જ કરીશું." તેમણે આગળ કહ્યું, " આ કોરોના વેક્સિનેશન કેન્દ્ર મંદિરના સ્થાપક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ઘ્વારા પ્રેરિત છે. "આપણાં પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતિન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ભારતમાં વેકિસનેશનમાં વેક્સિન માટેની નોંધણી કરાવી છે. તે માટે ભારપૂર્વક પ્રોત્સાહન આપ્યું છે. આના દ્વારા તે ખોટી માહિતીને દૂર કરવાનો લક્ષ્ય રાખે છે. વેક્સિન હિંદુઓ માટે કોઈક રીતે પ્રતિબંધિત છે અને તે તમામ લોકોને નિઃસ્વાર્થપણે વેક્સિન આપે છે; તેમ તેમ પ્રોત્સાહિત કરી રહ્યું છે.
આઈટી અને લોજિસ્ટિકની સાથે ઓપેરશનલ પ્લાનિંગ અને અમલીકરણ સપોર્ટની સુવિધામાં મંદિર સમુદાય ફરી એકવાર આગળ વધી રહ્યો છે. રોગચાળા દરમ્યાન ખુબ મહેનત કરી રહેલા એનએચએસના સભ્યોને કાર્ય કરવામાં મદદ કરવાની આશા સાથે સમુદાયના સભ્યોએ પણ કાર્યવાહી માટે તેમજ સ્વયંસેવકો તરીકે આગળ વધ્યા છે.
દર્શના પટેલ, રસી કાર્યક્રમના મેનેજર, જી.પી. ફાર્માસિસ્ટ્સ અને મંદિર સમુદાયના સક્રિય સભ્યો મંદિર ખાતે વેક્સિન આપશે. તેણીએ વોટ્સઅપ અને અન્ય સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતી ખોટી માહિતીને પહોંચી વળવાના મહત્વને પડઘો પાડ્યો. "અમે આ વેક્સિન લોકોને "હા" કહેવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. જે બ્રિટિશ વિજ્ઞાનની નવીનતા અને દવા માટે વૈશ્વિક વિજય છે. અને અમે એક મંદિર તરીકે તે વિશેની ખોટી અફવાઓને "ના" કહી રહ્યા છીએ."