Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં મુસ્લિમોની જાતિ ગણતરીની માંગ કરી : સીમાંચલ અને બિહારમાં મોટી સંખ્યામાં રોહિંગ્યાઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે : આ ઘુસણખોરોની ઓળખ કરવી જરૂરી

બિહાર : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે  મુસ્લિમોની જાતિ ગણતરીની માંગ કરીછે. તેમણે કહ્યું છે કે ઘુસણખોરોની ઓળખ કરવી જરૂરી છે. કારણકે સીમાંચલ અને બિહારમાં મોટી સંખ્યામાં રોહિંગ્યાઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે.

બિહારમાં જાતિ ગણતરી અંગે ચાલી રહેલી કવાયત વચ્ચે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોની વસ્તી ગણતરીની માંગ કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રોહિંગ્યા અને અન્ય ઘૂસણખોરોની ઓળખ મુસ્લિમોની ગણતરી દ્વારા કરવામાં આવશે. તે આવા લોકોને સીમાંચલ અને બિહારમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. ગિરિરાજ કટિહારમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેઓ બુધવારે પૂર્ણ થયેલી ભાજપની પ્રદેશ કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:00 pm IST)