Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કેરળમાં કોરોનાનો ઘટતો કહેર :દેશમાં નવા 23.873 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24.470 દર્દીઓ રિકવર થયા : વધુ 233 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.48.605 થયો :એક્ટીવ કેસ 2.67.702 થયા : કુલ કેસની સંખ્યા 3.37.89.375 થઇ

સૌથી વધુ કેરળમાં 13.834 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3105 કેસ,તામિલનાડુમાં 1597 કેસ, મિઝોરમમાં 1170 કેસ, આંધ્રપ્રદેશમાં 809 કેસ, પશ્ચિમ બંગાળમાં 708 કેસ, કર્ણાટકમાં 589 કેસ,ઓરિસ્સામાં 477 કેસ, આસામમાં 303 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 23.873 કેસ નોંધાયા છે. જ્યારે 24.470 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 23.873 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 233 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.48.605 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 23.873 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.37.89.375 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.67.702 થઇ છે છેલ્લા 24 કલાકમાં 24.470 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.30.60.014 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 13.834 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3105 કેસ,તામિલનાડુમાં 1597 કેસ, મિઝોરમમાં 1170 કેસ, આંધ્રપ્રદેશમાં 809 કેસ, પશ્ચિમ બંગાળમાં 708 કેસ, કર્ણાટકમાં 589 કેસ,ઓરિસ્સામાં 477 કેસ, આસામમાં 303 કેસ નોંધાયા છે

(1:03 am IST)