Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અમારા મતદારો ફરવા ગયા એટલે અંબાલામાં હાર્યા !!

ભાજપના પ્રવકતાનું આશ્ચર્યજનક નિવેદન

ચંદીગઢ, તા. ર : ભાજપના એક પ્રવકતાએ અંબાલામાં મેયર પદની ચૂંટણીમાં હારનું કારણ વર્ષાતેની રજાઓને ગણાવી જણાવેલ કે રજાઓને કારણે ભાજપના પ્રતિબદ્ધ મતદારો બહાર ચાલ્યા ગયેલ.

બીજી તરફ સંવાદદાતાઓ સાથતેની વાતચીતમાં હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે જણાવેલ કે મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન વિપરીત પરિસ્થિતિ છતાં સારૂ પરિણામ રહેલ. જો કે તેમણે એ સ્પષ્ટ ન કરેલ કે વિપરિત પરિસ્થિતિઓ શું હતી, પણ અંદરખાને જાણવા મળેલ કે કેન્દ્રનીકૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત પ્રદર્શન તરફ ખટ્ટરનો ઇશારો હતો.

(3:24 pm IST)