Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

શ્રીનગરમાં આતંકીઓએ ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો: એક જવાન ઘાયલ

સવારે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાં બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આજે બુધવારે સાંજે ડાઉનટાઉનના રાજૌરીકદલમાં આતંકવાદીઓએ ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો.  જેમાં એક યુવાન ઘાયલ થયો હતો.  હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.  આ દરમિયાન ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે. આ પહેલા સવારે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાં બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે.  જૈશ-એ-મોહમ્મદનો લીડર યાસિર પારે પણ આમાં સામેલ છે.  બીજા આતંકીની ઓળખ પાકિસ્તાનના ફુરકાન તરીકે થઈ છે.  તે લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો.

(12:00 am IST)