Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દેશમાં 69 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરાયું : છેલ્લાં 24 કલાકમાં 74.84 લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ

દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર હવે 97.45 ટકા થયો

નબી દિલ્હી :  દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 67 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં 74 લાખ 84 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ સમય ગાળામાં કોરોનાના 45 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 34 હજારથી વધુ લોકો સાજા થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 366 દર્દીઓના મોત થયા છે. સત્તાવાર યાદી જણાવે છે કે, દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર હવે 97.45 ટકા થયો છે.

(8:51 pm IST)