Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સાવધાન... આ વખતે ઠંડી ભુક્કા બોલાવી દેશે

કોલ્ડવેવ આવવાની શકયતા : શાલ-સ્વેટર -જાકીટ -બ્લેન્કેટ તૈયાર રાખજો

નવી દિલ્હી,તા. ૩:ઠંડીનું આગમન થઈ ગયું છે. સાંજ પડતાં જ હવામાનમાં ઠંડક વધતી જઈ રહી છે. તો, દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં તો ઓકટોબરના અંતમાં રાત્રે તાપમાન ૫૮ વર્માં સૌથી ઠંડુ નોંધાયું. તો આ વખતે હવામાન વિભાગનું કહેવું છે કે, અલ નીનો અને લા નનાથી ઋતુચક્રમાં પરિવર્તન જોવા મળી શકે છે. ઈન્ડોનેશિયા અને આસપાસના દેશોમાં લા નીનાની અસરથી આ વખતે વરસાદ સરરાશથી વધુ થયો. જેની અસર નવેમ્બરમાં જોવા મળશે અને ડિસેમ્બરમાં કોલ્ડ ડે અને સીવિયર કોલ્ડ ડે રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તરફથી 'શીત લહેરના ખતરામાં ઘટાડા' પ રઆયોજિત વેબિનારને સંબોધિત કરતા કહ્યું કે, એવું સમજવું ન જોઈએ કે, જળવાયુ પરિવર્તનથી તાપમાનમાં વધારો થાય છે. હકીકત એ છે કે, તાપમાનમાં વધારાના કારણે ઋતુઓ અનિયમિત થઈ જાય છે.

મોહાપાત્રાએ કહ્યું કે, શીત લહેરની સ્થિતિ માટે લા નીના અનુકૂળ હોય છે, જયારે અલ નીનોની સ્થિતિ તેના માટે સહાયક નથી હોતી. લા નીના પ્રશાંત મહાસાગરમાં સપાટીનું પાણી ઠંડુ હોવા સાથે જોડાયેલું છે, જયારે અલ નીનો તેની ગરમી સાથે જોડાયેલું છે. માનવામાં આવે છે કે, બંને કારણોની ભારતીય ચોમાસા પર અસર પડે છે.

દિલ્હીના સફરદરજંગ વેધશાળાએ ઓકટોબરમાં તાપમાન સરેરાશ ૧૭.૨ ડિગ્રી નોંધ્યું. જમ્મુ અને કાશ્મીરમાં, શ્રીનગરમાં ૨૭ ઓકટોબરે શૂન્યની નજીક તાપમાન નોંધાયું. જમ્મુ અને કાશ્મીરની ઠંડી હવાઓથી ઉત્ત્।ર ભારતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચે જતું રહ્યું. મધ્ય મહારાષ્ટ્રના ઉત્ત્।ર ભાગો જેવાકે, પુને અને નાસિકમાં, લા નીના સામાન્યથી નીચે તાપમાનનું કારણ હોઈ શકે છે. શનિવારે લુધિયાણામાં પુને જેવું જ તાપમાન નોંધાયું, જયારે કે, દેહરાદૂનમાં તાપમાન ૧૪.૩ ડિગ્લી સેલ્સિયસ હતું.

લા નીના અને અલ નીનો એક દરિયાઈ પ્રક્રિયા છે. લા નીના અંતર્ગત દરિયાનું પાણી ઠંડુ થવાની શરૂઆત થાય છે. દરિયાનું પાણી આમ તો પહેલેથી જ ઠંડુ હોય છે, પરંતુ લા નીનાના કારણે તેમાં ઠંડક વધે છે, જેની અસર હવાઓ પર પડે છે. જયારે કે, અલ નીનોમાં તેનાથી ઉલટું થાય છે. એટલે કે, દરિયાનું પાણી ગરમ થાય છે અને તેના પ્રભાવથી ગરમ પવન ફુંકાય છે .બંને પ્રક્રિયાઓની સીધી અસર ભારતના ચોમાસા પર પડે છે.

અલ નીનોનો અર્થ થાય છે શિશુ કે બાળક, જે સ્પેનિશ ભાષામાંથી લેવાયેલો શબ્દ છે. તે દરિયામાં થતી ઉથલ-પાથલ છે અને તેનાથી દરિયાના પાણીનું તાપમાન સામાન્ય કરતા વધુ થઈ જાય છે. તે દક્ષિણ-પશ્યિમ ચોમાસા પર વિપરીત અસર કરે છે. તો, લા-નીના તેનાથી તદ્દન ઉલટું છે, તેના કારણે દરિયાની સપાટીનું તાપમાન પૂર્વ પ્રશાંત મહાસાગરના સામાન્ય તાપમાન કરતા દ્યટવાનું શરૂ થાય છે. તેનો પ્રભાવ પણ ભૂમધ્ય રેખા તેમજ ઉપ ભૂમધ્ય રેખાના ક્ષેત્રમાં પડે છે.

(9:49 am IST)