Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કંગના રણૌત સામે ગીતકાર જાવેદ અખ્તરે માનહાનિનો કેસ નોંધાવ્યો

રંગોલીની જૂની ટ્વીટ મામલે જાવેદ અખતર કાયદાકીય લડાઈ લડવા તૈયાર :કંગનાને ઘરે બોલાવી ધમકી આપી અને ઋતિકની માફી માંગવાનો આરોપ રંગોલીએ મુક્યો હતો

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌત સામે હવે ગીતકાર જાવેદ અખ્તરે માનહાનિનો કેસ કર્યો છે  જાવેદ અખ્તરે ઘેર બોલાવી ધમકી આપી હોવાના કંગનાના આરોપ સામે કેસ કર્યો છે કંગનાએ દાવો કર્યો હતો કે જાવેદ અખ્તરે તેને ઘેર બોલાવી ધમકી આપી હતી અને રિતિક રોશન સામે માફી માગવાનું જણાવ્યું હતું.

હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને જાવેદ અખ્તર લાંબી કાયદાકીય લડાઇ લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કોર્ટની બહાર આ કેસમાં સેટલમેન્ટનો કોઇ સવાલ જ થતો નથી. જ્યારો બોલીવૂડ ન્યૂઝના રિપોર્ટ મુજબ કહેવાયું છે કે જાવેદ અખ્તરે કંગનાને ધમકી આપી જ નથી.vs Javed

કંગની રણૌતની બહેન અને તેની મેનેજર રંગોલી ચંડેલે 17 ફેબ્રુઆરીએ એક ટ્વીટ કરી કંગનાને ધમકાવી હોવાનો આરોપ મુક્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રિતિક રોશન પાસે માફી માગી લે. મહેશ ભટ્ટે કંગના પર ચપ્પલ ફેંક્યુ હતું. કારણ કે તેણે ભટ્ટની ફિલ્મ સ્યુસાઇડ બોમ્બરમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓ વડાપ્રધાનને ફાસીવાદી કહે છ. ચાચાજી તમે બંને શું છો?

ઓક્ટોબરમાં કર્ણાટકના તુમકુર ખાતે કંગના સામે કેસ નોંધાયો હતો. તેના પર ખેડૂતોના અપમાનનો આરોપ છે. ત્યાર બાદ મુંબઇમાં 2 કેસ થયા. જેમાં કંગના પર ધર્મના આધારે વેર ફેલાવવા અને કોર્ટનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. હવે જાવેદ અખ્તરે પણ કંગનાની સામે કેસ કર્યો છે.

કંગના રણૌત 2009થી 2013 સુધી રિતિક રોશન સાથે રિલેશનમાં હતી. બ્રેકઅપ પછી બંને વચ્ચે વિવાદ થયો હતો. જે 2016માં ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં કંગનાએ રિતિકને સિલી એક્સ કહ્યો હતો. કંગનાએ દાવો કર્યો હતો કે પુરાવા તરીકે તેની પાસે રિતિકે તેને રિલેશનશિપ દરમિયાન મોકલેલા ઇ-મેઇલ છે. જેની સામે રિતિકે કંગના સામે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:36 pm IST)