Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

૨૦૦ કરોડની વળતરની રકમ ઠુકરાવી સમન્થાએ?

તે કામ કરવા માટે સક્ષમ છે અને એથી જ તે હસબન્ડ પર નિર્ભર નથી રહેવા માગતીઃ તે એક સશકત અને આત્મનિર્ભર મહિલા છેઃ સમન્થા

મુંબઇ, તા.૪: નાગ ચૈતન્ય અને સમન્થાના ડિવોર્સ તાજેતરમાં જ થયા છે. એને લઈને ૨૦૦ કરોડની વળતરની રકમને સમન્થાએ જતી કરી છે એવું જાણવા મળ્યું છે. બીજી ઓકટોબરે બન્નેએ એકબીજાથી પરસ્પર સમજૂતીથી વિખૂટાં પડવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે સમન્થાને ૨૦૦ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા, પરંતુ એવું સાંભળવામાં આવ્યું છે કે તેણે એ રકમ લેવાની ના પાડી દીધી હતી. સમન્થાએ જણાવ્યું હતું કે તે કામ કરવા માટે સક્ષમ છે અને એથી જ તે હસબન્ડ પર નિર્ભર નથી રહેવા માગતી. તે એક સશકત અને આત્મનિર્ભર મહિલા છે. તે પોતાના ભવિષ્યને લઈને ખાસ્સી સકારાત્મક છે અને તે પોતાની કરીઅર પર પૂરતું ધ્યાન આપવા માગે છે. તે નથી ચાહતી કે તેની પર્સનલ લાઇફને કારણે તેના પ્રોજેકટ્સ પર કોઈ અસર પડે. તે પહેલેથી જ કામને લઈને પ્રોફેશનલ રહી છે. જોકે પોતાનાં કમિટમેન્ટ્સ પૂરાં કરવા માટે દરરોજ ઘરની બહાર જવું તેના માટે થોડું અઘરું તો રહેશે.

(3:22 pm IST)