Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ક્રિકેટ પ્રેમીઓ આનંદો

ટી-૨૦ વર્લ્ડકપમાં ૭૦ ટકા દર્શકોને પ્રવેશ માટે લીલીઝંડીઃટિકીટોનું વેચાણ શરૂ

 નવી દિલ્હીઃ ટી ૨૦ વર્લ્ડકપ પહેલા સમાચાર સારા છે. આઇસીસીએ   ટુર્નામેન્ટના યજમાન બીસીસીઆઇએ સ્ટેડિયમમાં ૭૦ ટકા દર્શકોના પ્રવેશને લીલી ઝંડી આપી દીધી છે. ક્રિકેટના ચાહકો માટે ટી-૨૦ વર્લ્ડકપની ટીકીટોનંુ વેચાણ શરૂ થઇ ગયું છે. આઈસીસીએ આ માહિતી શેર કરતી વખતે કહ્યું કે યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી ૨૦ વર્લ્ડ કપ માટે સ્ટેડિયમમાં ૭૦ ટકા સુધી દર્શકોને મંજૂરી આપવામાં આવશે.   આ માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે.  આઈસીસીના આ મેગા ઈવેન્ટમાં સુપર ૧૨ સ્ટેજની પ્રથમ મેચ ૨૩ ઓકટોબરે રમાશે.  જ્યારે આ ટુર્નામેન્ટની સૌથી હાઇપ્રોફાઇલ મેચ ૨૪ ઓકટોબરે યોજાશે, જેમાં બે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન સામસામે હશે.

(4:06 pm IST)