Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

કોવિદ -19 લોકડાઉન દરમિયાન વકીલો ,તેમજ કોર્ટના સ્ટાફને રોકશો નહીં : તેલંગણા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

તેલંગણા : કોવિદ -19 લોકડાઉન દરમિયાન વકીલો ,તેમજ કોર્ટના સ્ટાફ  જેવા કે ટાઈપિસ્ટ ,સ્ટેનોગ્રાફર ,સહિતનાને નહીં રોકવા તેલંગણા હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

કોર્ટ પ્રેક્ટિસ કરતા બે વકીલો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ ન્યાયમૂર્તિ કે લક્ષ્મણની સિંગલ જજ બેંચે ઉપરોક્ત આદેશ કર્યો છે.

જોકે તેલંગાણા સરકારે શરૂઆતમાં જ એડવોકેટને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ મુક્તિ આપી હતી. પરંતુ તેઓએ એવી દલીલ કરી હતી કે તેમની સેવાઓ માટે સમય મર્યાદા હોઈ શકે નહીં .

આદેશ જાહેર કરતી વખતે નામદાર કોર્ટે જણાવ્યું હતું કે વકીલો સોશિઅલ એન્જીનીયર્સ છે. જેઓ નાગરિકો વિરુદ્ધ કોઈ ગેરકાયદે કાર્યવાહી થતી હોય ત્યારે બંધારણની કલમ 12  મુજબ તેઓના રક્ષણ માટે કાર્યવાહી કરે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)