Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ગુરૂ-શુક્રથી દેશના મોટા ભાગ ઉપર ચોમાસુ ગતિ પકડે તેવી શકયતાઃ ઉત્તર ભારતમાં ૧૦ જુલાઇ પછી મોનસૂન પહોંચશે

નવીદિલ્હીઃ ૭ અને ૮ જુલાઈથી નૈઋત્યનું ચોમાસુ મોટાભાગનાં ભારત ઉપર ગતિ પકડશે તેમ જાણીતા વેધર એનાલિસ્ટ કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે. જોકે ''નેગેટીવ ઇન્ડિયન ઓશન ડાયપોલ'' વરસાદના દિવસો પશ્ચિમના સાગરકાંઠે ઘટાડી દેશે પરંતુ સાથોસાથ આવી રહેલ ''વીક બીઓબી એલપીએ'' પશ્ચિમના સાગરકાંઠે સારો વરસાદ લાવશે તેવી સંભાવના પણ તેમણે દર્શાવી છે. જયારે ઉત્તર ભારતમાં ૧૦ જુલાઇ પછી ચોમાસુ પહોંચી જશે તેમ જણાવાયું છે.

(12:02 pm IST)