Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

યુપીમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી મહાભયાનક ઘટના સર્જાઈ : ૫૦ વર્ષની દર્શને ગયેલ મહિલા ઉપર મહંત અને તેની ટોળકીએ ગેંગરેપ આચરી, હત્યા કરી, લાશને તેના ઘર પાસે ફેંકી દીધી

ઉત્તર પ્રદેશના બદાયુંમાં 50 વર્ષની એક મહિલા ઉપર નિર્ભયા જેવી મહા ભયાનકતા અને હેવાનિયત ગુજાર્યાનો બનાવ બહાર આવ્યો છે. ૫૦ વર્ષની મંદિરે દર્શન માટે ગયેલ મહિલા ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે અને ગુપ્તાંગમાં લોખંડનો રોડ ઘુસાડી  અતિ ક્રૂર હત્યા કરવામાં આવી છે. મંદિરના મહંત બાબા સત્યનારાયણ,  તેનો ચેલો વેદરામ અને ડ્રાઇવર જસપાલ સહિત ત્રણ લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે.  

પચાસ વર્ષની આંગણવાડીની સહાયિકા દૂધૈતી પોલીસ સ્ટેશન નજીકના ગામમાં આવેલ એક મંદિરમાં દર રવિવારની જેમ દર્શને ગયેલ. મોડી રાત્રે મંદિરના મહંત પોતાની બોલેરો મોટરમાં આ મહિલાનું શબ તેના ઘરના દરવાજા ઉપર ફેંકીને ચાલ્યો ગયો હતો. કુટુંબીજનોએ સામૂહિક દુષ્કર્મ પછી હત્યાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસ સ્ટેશનનો પી.એસ.ઓ. રવિન્દ્ર પ્રતાપ દ્વારા કુટુંબીજનોની ફરિયાદ સાંભળવાનું તો બાજુએ રહ્યું પરંતુ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી ન હતી.

ઠેઠ ૧૮ કલાક પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ. મહિલા ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કરતા લોકોની આંખ ફાટી રહે એવો રિપોર્ટ આવેલ. આ રિપોર્ટ મુજબ આ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી, ખૂબ જ લોહી નીકળી ગયું હતું અને લોખંડના રોડ જેવી કોઈ ચીજ તેના ગુપ્તાંગમાં ઘુસાડવામાં આવ્યાની વાત સામે આવ્યાનું હિન્દી અખબાર હિન્દુસ્તાને જણાવ્યું છે. આરોપી બાબા સત્યનારાયણ સહીત ત્રણેયને પકડી લેવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે

(12:00 am IST)