Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સૌરવ ગાંગુલીના ઘરમાં કોરોના પ્રવેશ્યો, પુત્રી સંક્રમિત

પરિવારના સભ્યો ઘરમાં જ આઈસોલેટ થયા, સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે જાણવા મળ્યું નથીઃ બોર્ડના અધ્યક્ષ કોરોનાથી સાજા થયા

મુંબઈ, તા.૫:ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેઓ સાજા પણ થઈ ગયા છે.જોકે કોરોના હવે તેમના ઘરમાં પ્રવેશી ચુકયો છે.
ગાંગુલીના પરિવારના ચાર સભ્યોને કોરોના થયો છે અને તેમાં તેમની પુત્રી સનાનો પણ સમાવેશ થાય છે.પરિવારના તમામ સભ્યો ઘરમાં જ આઈસોલેટ થયા છે.
ગાંગુલી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. જોકે તેમના પરિવારના સભ્યો કયા વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે તે હજી જાણવા મળ્યુ નથી.પરિવારના સંક્રમિત થયેલા બીજા સભ્યોમાં ગાંગુલીના ભાઈ દેબાશિષ ગાંગુલી, પુત્રી સના ગાંગુલી, બે સભ્યો સુવરોદીપ ગાંગુલી અને જાસ્મિન ગાંગુલીનો સમાવેશ થાય છે.
સૂત્રોનુ કહેવુ છે કે, સનામાં સાધારણ લક્ષણો જ જોવા મળ્યા છે.ગયા સપ્તાહે સના અને ગાંગુલીની પત્નીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે વખતે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

(12:00 am IST)