Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી, તેને હળવાશમાં ન લો

WHOની ચેતવણીઃ ઓમિક્રોનને કારણે હેલ્થ સિસ્ટમ ધ્વસ્ત થઈ શકે છે : ઓમિક્રોનને કારણે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ છે, અને તેના લીધે મોત પણ થઈ રહ્યા છે

નવી દિલ્હી,તા. ૬ : દુનિયાભરમાં ઓમિક્રોનનો ફફડાટ જોવા મળી રહ્યો છે, અને દુનિયાભરના અનેક દેશોમાં કોરોના કેસોની સુનામી આવી રહી છે. ઓમિક્રોનમાં સામાન્ય શરદી જેવાં લક્ષણો જોવા મળે છે, જેમ કે માથું દુઃખવું, ગળામાં ખરાશ, નાક વહેવું, થાક લાગવો અને સતત છીંક આવવી. આ લક્ષણોને કારણે લોકો એમ સમજે છે કે તેઓને સામાન્ય શરદી થઈ હશે. પણ બુધવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતાં કહ્યું છે કે, ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી અને તેને હળવાશમાં લેવી ન જોઈએ.

અમેરિકાના ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન એનાલિસિસ સેન્ટરના અનુસાર ઓમિક્રોન વેરિયન્ટના ચાર સૌથી સામાન્ય લક્ષણ કફ, થાક, લોહી જામી જવું અને વહેતું નાક છે. આ ઉપરાંત યુકેની ઝો કોવિડ એપે દ્વારા સ્ટડી કર્યા બાદ આ લક્ષણોમાં ઉબકાં આવવા અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા, અમેરિકા અને ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા અનેક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધારે સંક્રમિત વેરિયન્ટને કારણે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને તેમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ પડતી નથી.

WHOના એપિડેમોલોજીસ્ટ ડો. મારિયા વેન કેરખોવેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અમુક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોનના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું રહે છે, આ વચ્ચે તેનાથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ છે અને ઓમિક્રોનને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.

ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનને કારણે ૧૪ મોત નિપજયા છે, જયારે અમેરિકા અને સાઉથ કોરિયામાં એક વ્યકિતનું મોત નિપજયું છે. અને મોટાભાગે જે લોકોએ વેકિસન લીધી ન હોય તેમના જ મોત નિપજયા છે. ષ્ણ્બ્દ્ગક્ન ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામિનાથને ટ્વિટર પર જણાવ્યું છે કે, ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી, આરોગ્ય સિસ્ટમમાં ડૂબી શકે છે. મોટી સંખ્યામાં દર્દીઓના ટેસ્ટ અને દેખરેખ કરવી ખુબ જ જરૂરી છે. કેમ કે કેસોમાં ઉછાળો અચાનક અને વિશાળ હોઈ શકે છે. આ ઉપરાંત કેરખોવે જણાવ્યું કે, આપણે રસી આપીને સંક્રમણને દ્યટાડીને, જીવ બચાવી શકીએ છીએ.

આ વચ્ચે WHOએ મંગળવારે કહ્યું હતું કે, હાલના સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન ઉપરના શ્વસન માર્ગને પ્રભાવિત કરે છે, અને તેને કારણે ડેલ્ટા વેરિયન્ટ કરતાં સામાન્ય લક્ષણો જોવા મળે છે. WHOના ઈન્સિડન્ટ મેનેજર અબ્દી મહમુદે જણાવ્યું કે વધારેમાં વધારે અભ્યાસમાં અમે જોઈ રહ્યા છે કે જયારે અન્ય વેરિયન્ટ કે જેમાં ગંભીર ન્યૂમોનિયા થાય છે તેના કરતાંઓમિક્રોન શરીરના ઉપરના ભાગને જ સંક્રમિત કરે છે.

WHOએ ચેતવણી આપી હતી કે મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં ઓમિક્રોન સંક્રમણ વધવાને કારણે નવા વેરિયન્ટનો ઉદભવ પણ થઈ શકે છે. જેટલો વધારે વાયરસ ફેલાશે, તેટલો વધારે રેપ્લિકેટ તઈ એક દ્યાતક વેરિયન્ટ લાવી શકે છે. ફ્રાંસમાં હાલમાં જ IHU નામનો નવો વેરિયન્ટ જોવા મળે છે. નવા વેરિયન્ટમાં ૪૬ મ્યૂટેશન છે, જેનાથી અત્યારે વેકિસનેટેડ અને અનવેકિસનેટેડ સહિત ૧૨ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. તેનાથી ઓમિક્રોન કરતાં પણ વધારે ઝડપથી સંક્રમણ ફેલાઈ શકે છે પણ તે ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઓછો ઘાતક છે તેવું રિસર્ચર જણાવી રહ્યા છે.

(10:27 am IST)