Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૬૩

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

પાછા ફરવુ
‘‘પાછા ફરવા જેવુ કઇ છે જ નહી અને પાછા ફરવાની કોઇ જરૂર જ નથી. તમારે આગળ જવાનું છે. પાછળ નહી’’
તમે વારંવાર એવુ વિચારશો કે પાછળ કઇ રીતે જવુ પાછળ જવાની કોઇ જરૂર જ નહી. તમારે આગળ જ જવાનું છે. તમારે તમારા પ્રકાશને પામવાનો છે. અને તે પામી શકાય છે. પાછળ જવાની કોઇ શકયતા નથી અને જો હોય તો પણ એક જ અનુભવ તમને બીજી વાર સંતુષ્ટી નહી આપી શકે. તે ફકત એક પુનરાવર્તન હશે.તેમા કોઇ રોમાંચ નહી હોય. હવે સમાન-અનુભવ પણ તમને આનંદ નહી આપી શકે તમે કહેશો, ‘‘આ હુ જાણુ છું. પરંતુ તેમા વધારે શું છે? નવુ શું છે ? અને તે વારંવાર પુનરાવર્તીત  થશે તો તમે કંટાળી પણ જશો.’’
વ્યકિતએ હમેશા આગળ જવુ જોઇએ અને દરેક દિવસે નવા અનુભવો થશે. અસ્તીત્વમાં એટલી નવીનતા છે. કે તમને સમાન અનુભવ કયારેય નહી થાય. તેમાં લાખો-વિવિધતાઓ છે કે દરેક દિવસે તમને નવુ દર્શન થશે-તેથી જુનાની શા માટે ચીંતા કરવી ? કોઇ જરૂરજ નથી.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:29 am IST)