Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૦,૯૨૮ કેસ : ૩૨૫ લોકોના મૃત્યુ

દેશમાં કોરોનાના કેસમાં બુલેટ ગતિથી વધારો થઇ રહ્યો છે

નવી દિલ્હી તા. ૬ : દેશમાં કોરોનાના કેસમાં બુલેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૦ હજારથી વધુ કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૦,૯૨૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩,૫૧,૦૯,૨૮૬ પર પહોંચી ગઈ છે. એક દિવસમાં ૩૨૫ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૮૨,૮૭૬ થઈ ગયો છે. હાલ દેશમાં ૨,૮૫,૪૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

(10:43 am IST)