Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોના કેસ વધતા પૂ. મોરારીબાપુ દ્વારા જયપુરની રામકથામાં શ્રોતાઓની સંખ્યા ઘટાડવા નિર્ણય

આગામી કથાઓમાં પણ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાશે

રાજકોટ તા. ૬ : હાલમાં જયપુર ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. આપણે જાણીએ છીએ તેમ પુરા વિશ્વમાં અને આપણા દેશમાં પણ જાણે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કેસમાં વધારો થતો જાય છે અને લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા વધતી જાય છે. આવા સંજોગોમાં શકય તેટલી જાગૃતિ રાખવી અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું એ કોરોના મહામારી ફેલાતી અટકાવવા નો મહત્વનો ઉપાય છે.

આજે પુજય બાપુએ જયપુરની રામકથા દરમિયાન રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અંગત સચિવ અને તેના ઉચ્ચતબીબો સાથે વાતચીત કરી હતી. અને એમણે પોતે રામકથામાં ૨૦૦ શ્રોતાઓ માટેની મંજુરી મળેલ છે તેમ છતાં કોરોનાની મહામારી ફેલાતી અટકે એ દિશામાં પહેલ કરવા માટે થઈ અને શ્રોતાઓની સંખ્યા માં કાપ મૂકવાનું નક્કી કરેલ છે.બાપુએ કહ્યું હતું કે કોઈ પહેલ કરે ન કરે હું અને મારા શ્રોતાઓ , મારી કથા વાટિકાના ફલાવર્સ, અમે આ દિશામાં એક દાખલો બેસે તેવો નિર્ણય થાય એ માટે આગામી દિવસોમાં ધીમે ધીમે શ્રોતાઓની સંખ્યા ઓછી કરતા જાશું. અને એ પ્રમાણે અનેક શ્રોતાઓ આવતીકાલે કથા સ્થળ પરથી પરત ઘેર જવા નીકળી જશે. સામાજિક અંતર જાળવી ભીડ એકદમ ઓછી કરવી, માસ્ક અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો એ કોરોનાને ફેલાતો અટકાવવા માટે આ ઉત્ત્।મ પગલાઓ છે. પૂજય બાપુએ આ દિશામાં પહેલ કરી અને ૨૦૦ શ્રોતાઓની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રોતાઓની સંખ્યા ઘટાડી આપણા સૌ માટે એક ઉત્ત્।મ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. બાપુએ કહ્યું હતું કે તેમની આગામી કથાઓમાં પણ જરૂર જણાયે શ્રોતાઓની સંખ્યા એકદમ ઓછી રાખી શકાય તેવું કરવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગ અને કોરોના માટેનીતમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી આ રોગને ફેલાતો રોકવા પ્રયાસ કરવો.

(11:24 am IST)