Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીએમ મોદીના દીર્ઘાયુ જીવન માટે દેશભરમાં પ્રાર્થનાઓ-મહામૃત્યુંજય જાપ

નવી દિલ્હીઃ પીએમ મોદીના દીર્ઘાયુ જીવનની કામના માટે દેશભરમાં આવેલા મંદિરોમાં પ્રાર્થનાઓ અને મહામૃત્યુંજયના જાપ થયા છેઃ દેશના અનેક રાજ્યોમાં સવારથી સાંજ સુધી પ્રાર્થનાઓનો દોર ચાલુ રહ્યો છેઃ મધ્યપ્રદેશમાં ખુદ સીએમ શિવરાજસિંહ ચૌહાણે મહામૃત્યુંજય જાપ કર્યા હતાઃ દરમિયાન દેશભરમાં ભાજપના નેતાઓ પુજા-અર્ચના કરશે તો ભાજપ યુવા મોરચો કેન્ડલ માર્ચ પણ યોજશેઃ બુધવારની ઘટનાને ધ્યાનમાં રાખી યુવા મોરચાએ આવતી કાલે સાંજે ૬ વાગ્યે કેન્ડલ માર્ચ યોજવાનો નિર્ણય લીધો છેઃ સોશ્યલ મીડિયા ઉપર પીએમની સુરક્ષાના મામલે યુદ્ધ છેેડાયુ હોવાનું પણ જાણવા મળે છે રાજકોટમાં પણ ભાજપ દ્વારા વિવિધ મંદીરોમાં પ્રાર્થના થઇ હતી

(3:55 pm IST)