Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વેકસીનેશનની વય મર્યાદા ખતમ કરો

કેજરીવાલ, ઉધ્ધવ અને ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવ્યો

નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી વેકસીનેશનની વય મર્યાદા ખતમ કરવા માંગ કરી છે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પણ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવ્યો છે.

કેજરીવાલે પત્રમાં લખ્યુ છે કે કોરોના સામેના જંગમાં કેન્દ્રએ દરેક પગલે દિલ્હી સરકારને સાથ આપ્યો છે મને આશા છે કે તમે આ મુદાઓ ઉપર જરૃર વિચાર કરશો જેનાથી કોરોના સામે લડી શકીએ.

જયારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટવીટ કરી કહ્યું કે કોરોના એકધારો વધી રહયો છે. જેને રોકવા બધાએ વેકસીન લગાવવી જરૃરી છે. હું પ્રધાનમંત્રીને માંગ કરૃ છું કે તમામ માટે વેકસીનેશનની મંજુરી આપવામાં આવે અને એ પણ કોઇપણ જાતની મર્યાદા વગર.

(3:33 pm IST)