Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

કોરોનાની બીજી લહેરએ 646 ડોકટરોનો ભોગ લીધો : દિલ્હીમાં સૌથી વધુ મોત . IMAના આંકડામાં ખુલાસો

દિલ્હીમાં 109, બિહારમાં 97,યુપીમાં 79,રાજસ્થાનમાં 43,મહારષ્ટ્રમાં 23 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં કુલ 664 ડોકટરો મૃત્યુ પામ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) નાં નવા આંકડા અનુસાર, દેશમાં કોરોનાની બીજી લહેરમાં કુલ 646 ડોકટરો મૃત્યુ પામ્યા છે. ડોકટરોનાં મોતનાં કિસ્સામાં રાજધાની દિલ્હી ટોચ પર છે. IMAના જણાવ્યા અનુસાર આ વખતે દિલ્હીમાં કુલ 109 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે.

જ્યારે અન્ય કેટલાક રાજ્યોમાં બિહાર દિલ્હી પછી બીજા ક્રમે છે, જ્યાં 97 ડોકટરોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 79, રાજસ્થાનમાં 43, મહારાષ્ટ્રમાં 23 અને કર્ણાટકમાં 9 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. જો કે, પ્રથમ લહેરની તુલનામાં, આ વખતે સંક્રમણને કારણે મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે. IMAના આંકડા મુજબ, ગત લહેરમાં કુલ 748 ડોકટરોનું મોત નીપજ્યું હતું.

(12:00 am IST)