Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ? આરતીનું લાઇવ પ્રસારણ : યાત્રાને હવે પ્રતિકાત્મક રૂપે સંપન્ન કરાશે તેવી સ્થાનિક ચેનલોના અહેવાલો: સત્તાવાર જાહેરાત હવે થશે

અનેક વિટંબણાઓ પછી કોરોનાને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા પડતી મૂકવામાં આવી હોવાનું જમ્મુની સ્થાનિક ચેનલો અને ફેસબુકમાં સમાચારો ચાલે છે. અમરનાથ શ્રાઈન બોર્ડે જાહેર કર્યું છે કે અમરનાથ મહાદેવની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે અને પૂજન વિધિ પહેલાની જેમ જ થશે. અમરનાથ યાત્રાને હવે પ્રતિકાત્મક રૂપે સંપન્ન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું વી-ટીવીનો અહેવાલ નોંધે છે. સામાન્ય ભાવિકો માટે અતિ ખર્ચાળ પડે તેમ હોય હેલિકોપ્ટર દ્વારા યાત્રાનો પ્રસ્તાવ પણ ફગાવી દેવાયો છે. સામાન્ય રીતે ૨૮ જૂનથી યાત્રા શરૂ થતી હોય છે. આ વર્ષે ૬ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના હતી. કુંભ મેળા ને મંજૂરી અપાયા પછી સંક્રમણ આખા દેશમાં વધ્યું છે તે જોતાં અમરનાથ યાત્રા રદ્ કરવામાં આવી હોય તેમ માનવામાં આવે છે. જો કે સત્તાવાર જાહેરાત મોડેથી થશે.

(2:24 pm IST)