Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જમ્મુ-કાશ્મીરના ત્રાલ ખાતે ત્રાસવાદીઓ દ્વારા બસ સ્ટેન્ડ ઉપર ગ્રેનેડ ઝીંકાઈ: કેટલાક નાગરિકોને ઇજા

જમ્મુ અને કાશ્મીરના ત્રાલ ખાતે ત્રાસવાદીઓ દ્વારા મુખ્ય બસ સ્ટેન્ડ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવી છે. આ ગ્રેનેડ હવામાં જ ફાટી હતી અને છ થી સાત નાગરિકોને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સલામતી દળોએ સમગ્ર એરિયાને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

(8:22 pm IST)