Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મારા પુત્રની બનાવ સમયે હાજરી હોવાના પુરાવા મળશે તો એ જ ક્ષણે રાજીનામું આપી દઈશ: કેન્દ્રીય રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી અજય કુમાર મિશ્રાની જાહેરાત

કેન્દ્રીય રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી અજય કુમાર મિશ્રાએ કહ્યું છે કે યુપીના લખીમપુર ખેરીના બનાવ સમયે મારો પુત્ર સ્થળ ઉપર હાજર હતો જ નહીં. બનાવ સમયે તે સ્થળ ઉપર હાજર હતો તેવા કોઈ પણ પુરાવા મળશે તો કેન્દ્રીય મંત્રી પદેથી તે જ ક્ષણે હું  રાજીનામુ આપી દઈશ. કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી અજય મિશ્રા આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ મળ્યા હતા અને આ સંદર્ભે મંત્રણા કરી હોવાનું જાણવા મળે છે.

 

(2:20 pm IST)