Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

બે સુરક્ષા કર્મચારીઓ દ્વારા ત્યાં ફિલ્મી ગીત પર બનાવાયેલા વીડિયોના સામે આવ્યા બાદ નિર્ણય

ઉજૈનનાં મહાકાલ મંદિરમાં મોબાઈલ લઈ જવા મુદ્દે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.જેમાં મંદિર તંત્ર એ આ નિર્ણય તાજેતરમાં બે સુરક્ષા કર્મચારીઓ દ્વારા ત્યાં ફિલ્મી ગીત પર બનાવાયેલા વીડિયોના સામે આવ્યા બાદ લીધો છે.આમ આગામી 20 ડિસેમ્બરથી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે

 .આ સિવાય ત્યાં આગામી 24 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી નવા વર્ષની વ્યવસ્થાઓના કારણે ગર્ભગૃહમાં પણ પ્રવેશ પ્રતિબંધ રહેશે.આ સાથે મંદિરમાં પ્રસાદીના લાડવાનો પણ ભાવ વધારી દેવામાં આવ્યો છે.જેમાં લાડવાની પ્રસાદી પહેલા રૂ.300 પ્રતિ કિલો મળતી હતી.જેના ભાવ વધારીને રૂ.360 પ્રતિકિલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ આ મંદિર બાબા મહાકાલનું મંદિર લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.20 ડિસેમ્બર 2022થી શ્રી મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે.આ માટે લોકરની સુવિધા મંદિરની બહાર આગામી 15 દિવસની અંદર કરી દેવામાં આવશે.આ નિયમ મંદિરના પૂજારીઓ અને સુરક્ષાકર્મચારીઓ પર પણ લાગુ થશે.

(11:57 pm IST)