Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બ્રિટન ભારતીય પ્રોફેશ્નલ માટે વિઝા નિયમોમાં ઢીલ નહીં આપે

એફટીએ કરારઃ પીએમ જોનસને શકયતા નકારી

લંડન,તા. ૭ : બ્રીટનના વડાપ્રધાન જોનસને ભારત સાથે મુકત વેપાર કરાર હેઠળ ભારતીયોને વીઝા નિયમોમાં ઢીલ આપવાની સંભાવનાનો છેદ ઉડાડી દીધો છે.

પ્રધાનમંત્રીને પ્રશ્ન સત્ર દરમ્યિાન જોનસનને તેમની કંઝરવેટીવ પાર્ટીના એક સાંસદે પુછેલ કે ભારત માટે એફટીએને વધુ આકર્ષક બનાવવા ભારતીય પ્રોફેશ્નલ અને વિદ્યાર્થીઓ માટે સરળ વીઝા નિયમ અંગે એક રિપોર્ટમાં દાવો કરેલ. સાંસદ સર એડવર્ડ લેહએ પુછેલ કે શું ભારત સાથે વેપાર કરારને સુરક્ષીત કરવા માટે વિઝા નિયંત્રણમાં છૂટનો ઇરાદો છે. ત્યારે જોનસને જણાવેલ કે અમે તે આધાર ઉપર મુકત વેપાર કરાર નથી કરતા.

(10:29 am IST)