Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

યૌન ઉત્પીડનનો ભોગ બનેલ પીડિતાને 'મજાક'થી બચાવવી જરૂરી

એક અરજીની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટની ટિપ્પણી

કોચી, તા. ૭ :. કેરળ હાઈકોર્ટે ગુરૂવારે જણાવેલ કે યૌન ઉત્પીડનનો શિકાર થયેલ લોકોનું વધુ શોષણ કે મજાક ઉડાવવાની ચેષ્ટાથી સંપૂર્ણપણે બચવાની જરૂર છે. યૌન ઉત્પીડનનો શિકાર વ્યકિતને ફરીયાદ કરવા માટે ખૂબ જ સાહસની જરૂર પડે છે.

કેટલાક મામલાઓમાં તપાસ પ્રક્રિયાના નામ ઉપર આરોપ લગાડતા દેખાયા છે. જેથી પીડિતા વધુ આહત બને છે અને તેનો ઉપહાસ કરવામાં આવે છે. સાથે જ કોર્ટે યૌન ઉત્પીડન શિકાર લોકોને તપાસ પ્રક્રિયાના નામ ઉપર વધુ મુશ્કેલીઓથી બચાવવા વકીલો પાસે સલાહ માંગેલ.

હાઈકોર્ટે કહ્યુ કે, આ કોઈ નાનો મામલો નથી, જેથી ગોપનીયતાના તમામ સિદ્ધાંત બનાવાયા છે. જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે પીડિતાને જનતાની નજરોનો સામનો ન કરવો પડે. કોર્ટે આ ટિપ્પણી પોલીસ સંરક્ષણની ગુહાર કરનાર એ અરજીની સુનાવણી દરમિયાન કરી. જેમાં પીડિતાનો આરોપ હતો કે તેને ફકત આરોપી જ નહીં પણ કેટલાક પોલીસ અધિકારીઓ પણ પરેશાન કરે છે.

(11:16 am IST)