Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ખાલી-ભરેલુ

‘‘એક હાથે ખાલી થાવ અને બીજા હાથે ભરાઇ જાવ. તેથી તમે ખરેખર જયારે ખાલી હશો ત્‍યારે જ તમે ભરાઇ શકશો''

કયારેક એવુ બને છે કે તમને કોઇ એક પ્રકારના ધ્‍યાનનું વ્‍યસન થઇ જાય છે. આ વ્‍યસન એક પ્રકારની ગરીબી લાવે છે તમારે બીજા પરીમાણોને પણ તમારી અંદર ઉતરવા દેવા જોઇએ તમારી પાસે ઓછામાં ઓછા બે ધ્‍યાન હોવા જોઇએ એક સક્રિય અને એક નિષ્‍ક્રીય આ મૂળભૂત જરૂરીયાત છે નહીતર તમારૂ વ્‍યકિતત્‍વ એકતરફી થઇ જશે.

જોવુ એ નિષ્‍ક્રીય અવસ્‍થા છે કઇ જ કરવાનું નથી તે બુધ્‍ધનું ધ્‍યાન છે- ખૂબજ સારૂ છે પરંતુ સંપૂર્ણ નથી તેથી બૌધ્‍ધો એકતરફી બની ગયા તેઓ ખૂબ જ શાંત થઇ ગયા પરંતુ તેઓ કઇક ચૂકી ગયા - હું તેને આશીર્વાદ કહું છું.બૌધ્‍ધ એક ખૂબજ સુંદર અભીગમ છે પરંતુ સંપુર્ણ નથી તેની અંદર રહસ્‍ય નથી કવીતા નથી. રોમાંસ નથી તેફકત આત્‍માનું ગણીત છે, આત્‍માની કવીતા નથી અને જયા સુધી તમે નાચશો નહી, કયારેય તૃપ્‍ત નહી થાવ.

કેટલાક નૃત્‍ય ધ્‍યાન પણ કરો, ગાયન ધ્‍યાન, સંગીત ધ્‍યાન તેથી સાથે-સાથે તમારી આનંદ માણવાની ક્ષમતા પણ વધે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:51 am IST)