Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

લાલુને કેદીની જેમ રાખો, મહેમાનની જેમ નહિં : બિહાર ભાજપનો આક્રોશ

રાંચી તા. ૭ : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને રાજન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાન (રિમ્સ) નિર્દેશકના બંગલામાં સ્થળાંતરિત કરવા સામે ભાજપ આગેવાનોએ ભારોભાર વિરોધ વ્યકત કરતા જણાવ્યુ છે કે લાલુને મહેમાનની જેમ નહીં પણ એક કેદીની જેમ રાખો.

ભાજપ પ્રવકતા સરોજસિંહે ગુરૂવારે મીડીયા સાથેની વાતચિતમાં જણાવેલ કે કોરોના વાઇરસ સંક્રમણના બહાને પહેલા રીમ્સના પેઇંગ વોર્ડના એક ફલોર અને ૧૯ જેટલોા રૂમ લાલુ પ્રસાદની મહેમાનગતિ માટે ખોલી અપાયા છે. જયાં રસોઇથી માંડીને નોકર ચાકર સુધીન તમામ સુવિધાઓ છે. સરકાર ચારા ગોટાળા કાંડના કેદીને આવી સુવિધા શા માટે આપે છે? તેવા સવાલો તેમણે ઉઠાવ્યા છે.

(1:03 pm IST)