Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દેશમાં કોરોનાની બીજી લહેર ખત્મ થવાના આરે : નવા 92.719 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.62.280 દર્દીઓ રિકવર થયા : વધુ 2222 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.53.577 થયો :એક્ટિવ કેસ ઘટીને 12.26.850 થયા : કુલ કેસની સંખ્યા 2.90.88.176 થઇ

-સૌથી વધુ તામિલનાડુમાં 18.023 કેસ, કેરળમાં 15.567 કેસ,મહારાષ્ટ્રમાં 10.891 કેસ, કર્ણાટકમાં 9808 કેસ, આંધ્રપ્રદેશમાં 7796 કેસ,ઓરિસ્સામાં 5896 કેસ, પશ્ચિમ બંગાળમાં 5427 કેસ,આસામમાં 3948 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં માં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 92.719 કેસ નોંધાયા છે. જ્યારે 1.62.280 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 92.719 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2222 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,53.557 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.62.280 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,90.88.178 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 12.26.850 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.62.280 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,74.96.198 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 18.023 કેસ, કેરળમાં 15.567 કેસ,મહારાષ્ટ્રમાં 10.891 કેસ, કર્ણાટકમાં 9808 કેસ, આંધ્રપ્રદેશમાં 7796 કેસ,ઓરિસ્સામાં 5896 કેસ, પશ્ચિમ બંગાળમાં 5427 કેસ,આસામમાં 3948 કેસ નોંધાયા  છે  

(1:11 am IST)