Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વધતી ચિંતા :કોરોનાના કેસમાં સતત બીજા દિવસે વધારો :છેલ્લા 24 કલાકમાં 45,892 નવા કેસ : 817 દર્દીના મોત

રિકવર થનારની તુલનામાં નવા કેસની સંખ્યા વધીબુધવારે 43733 નવા કેસ અને 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો:મંગળવારે 34,067 નવા દર્દીઓ અને 552 લોકોના મોત થયા

દેશમાં કોરોનાની બીજી લહેર હજુ થમી નથી. કોરોનાના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 45,892 નવા કેસ સામ આવ્યા છે અને 817 દર્દીના જીવ ગયા છે. તેનાથી એક દિવસ પહેલા બુધવારે 43733 નવા કેસ સામે આવ્યા અને 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા મંગળવારે 34,067 નવા દર્દીઓ અને 552 લોકોના મોત થયા હતા.ગયા 24 કલાકમાં 44,291 દર્દીઓ સાજા થયા છે.સાજા થનાર દર્દીઓની તુલનામાં નવા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.

(12:01 pm IST)