Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

યુપીમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ: નરેન્દ્રભાઈ અને અમિતભાઈ રાજધાની લખનઉના કાર્યક્રમમાં એક સાથે ઉપસ્થિત રહેશે ?

આગામી ૨૦ અથવા ૨૧ નવેમ્બરે રાજધાની લખનૌમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એકસાથે જોવા મળી શકે છે.  આ દરમિયાન, તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આયોજિત વાર્ષિક ડીજીપી/આઈજીપી કોન્ફરન્સમાં પણ ભાગ લઈ શકે છે.  આ કાર્યક્રમમાં દેશભરમાંથી પોલીસ વડાઓ પહોંચશે.  સૂત્રોનું કહેવું છે કે હાલ આ બેઠક અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.  આવતા મહિને પીએમ મોદી ફરીથી યુપી પહોંચશે અને તેમના મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.  આ કોરિડોરનું કામ ૧૫ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

(12:09 am IST)