Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કાલે બિહારમાં નિતીશ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ : શાહનવાઝ હુસૈન લઇ શકે શપથ

રાજભવનનાં રાજેન્દ્ર મંડપમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

પટના : બિહારનાં મુખ્ય પ્રધાન નિતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ કાલે થશે, આ વખતે BJPનાં અગ્રણી નેતા શાહનવાઝ હુસૈન પણ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેશે, એવું મનાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે 16 ડિસેમ્બરનાં દિવસે સરકાર રચાઇ ત્યાર બાદથી જ પ્રધાનમંડળનાં વિસ્તરણ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી, આજ સવારે મુખ્ય પ્રધાન નિતીશ કુમારે સંકેત આપ્યો કે હવે પ્રધાન મંડળનાં વિસ્તરણમાં વિલંબ થશે નહીં.

તેમણે પોતાની યાદી  ભાજપને સોંપી દીધી હતી, આ પહેલા ભાજપએ પોતાના પ્રધાનોની પસંદગી કરવા માટે લાબું મનોમંથન કર્યું હતું આખરે આજે સાંજે સમાચાર આવ્યા કે BJPએ તેનાં પ્રધાનોનાં નામો નક્કી દીધા છે. કાલે રાજભવનનાં રાજેન્દ્ર મંડપમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

મુખ્ય પ્રધાન નિતીશ કુમારે 16 ડિસેમ્બરનાં દિવસે 14 પ્રધાનો સાથે શપથ લીધા હતાં, આવતી કાલે યોજાનારા શપથવિધિ સમારોહમાં 22 નવા પ્રધાનો શપથ લઇ શકે છે.

(12:00 am IST)