Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ગુલાબ નબી આઝાદ સાથેની મિત્રતા વિશે જણાવીને આપી વિદાય

રાજ્યસભામાં ૪ સાંસદોની વિદાય : આતંકી ઘટના બાદ ફોનનો ઉલ્લેખ કરીને ભાવુક થયા પીએમ મોદી

નવી દિલ્હી તા. ૯ : રાજયસભામાં ૪ સાંસદોના વિદાય સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદી રાજયસભાના સાંસદોને વિદાય આપતા ભાવુક થઇ ગયેલા જોવા મળ્યાં.પીએમ મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો અનુભવ વર્ણવતા ભાવુક થઇ ગયા. આઝાદને લઇને ગુજરાતના મુખ્યમંત્રીકાળના સમયને યાદ કર્યો.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગુલામ નબી જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ગુજરાતી યાત્રિકોના મોત થયા હતા.તત્કાલિન જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મને ફોન કર્યો હતો. ફોન પર ગુલામ નબી સાહેબ રડી પડ્યાં હતા. પીએમ મોદીએ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની ભરપુર પ્રશંસા કરી.

(12:56 pm IST)