Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મુંબઇમાં મહીલાને સળગાવવા આવેલ વ્યકિત જ સળગી મર્યો

પેટ્રોલ છાંટતાની સાથે જ મહીલાએ હિંમતથી કાંડુ પકડી લેતા બન્ને સખત દાઝી ગયેલ : મહીલા હજુ સારવારમાં

મુંબઇ તા. ૯ : મુંબઇના જોગેશ્વરના ગાંધીનગર વિસ્તારમાં એક કિસ્સો એવો બન્યો છે જેમાં મહીલાને પેટ્રોલ છાંટી સળગાવવા આવેલ પુરૂષ પોતે જ સળગીને મૃત્યુ પામ્યો છે. બન્ને અઢી વર્ષથી એક બીજાના પરિચયમાં હતા. પુરૂષને એ મહીલા સાથે લગ્ન કરવા હતા, પરંતુ પરિવારજનોએ પ્રસ્તાવ નકારતા યેનકેન પ્રકારે મહિલાને પરેશાન કરતો રહેતો હતો. થોડા દિવસ પહેલા પેટ્રોલ છાંટી આ મહીલાને સળગાવવા પ્રયાસ કરેલ. એ દરમિયાન મહીલાએ તેનું કાંડુ મજબુત રીતે પકડી લેતા બન્ને સખત રીતે દાઝી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ પુરૂષે દમ તોડી દીધો છે. જયારે મહીલા હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

(12:58 pm IST)